જીવનનું ગાન

 

“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!”

આ કાવ્યપંક્તિ કહેવત બની ગઈ તે હદે પ્રખ્યાત, તેના કવિ હતા અરદેશર ફરામજી ખબરદાર.
આજે પતેતી નિમિત્તે પારસી ભાઈ-બહેનોને નૂતન વર્ષની શુભેચ્છા અને માણીએ આ પારસી કવિના એક ખંડકાવ્ય ‘જીવનનું ગાન’ના કેટલાંક અંશો….

 

જીવતું મૃત્યુ છે જીવન આ તેહનું,
જેહને જીવન આ વ્યર્થ લાગે,

પળપળે લાખ શંકા ઉઠાવી ઉરે,
જીવનનો સર્વ આનંદ ભાગે;

જીવનનો મહામૂલો જોગ ચાલી જતો,
મેઘ વરસી જતો વ્યોમમાંથી;

જે દીવાલો કરે આસપાસે ઊભી,
ને સૂએ માંહી અંધાર ઓઢી,

તે ન કૈ દિવસનાં તેજ પામી શકે,
ખોય ત્યાં સર્વ આનંદ પોઢી;

ફૂલ નહિ જોય નિજ રંગસૌરભ કશું,
તદપિ કાંટા જ નીરખે શરીરે,

તો પછી વ્યર્થ છે જીવન એ ફૂલનું,
જીવતું મૃત્યુ એ જીવન ચીરે !

( ઝૂલણા છંદ )

 

 


2 Comments to “જીવનનું ગાન”

  1. pragnaju says:

    પતેતી મુબારક
    તો પછી વ્યર્થ છે જીવન એ ફૂલનું,
    જીવતું મૃત્યુ એ જીવન ચીરે !
    ખૂબ સુંદર

  2. સુંદર રચના… ઝૂલણા છંદનું પ્રયોજન પણ સ-રસ રીતે થયું છે… ઝૂલણા છંદનું નામોવિધાન શી રીતે થયું હશે?!

    ગાલગા ગાલગા ના ઝૂલા જેવા આવર્તનોના કારણે?!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME