હું એક જ છું : ચંદ્રકાંત બક્ષી
“અને એક સાંજે હું ચાલ્યો જઈશ ધુમાડો પહેરીને,
ફક્ત બાલ્કનીના તડકામાં મારો સલ્ફયુરિક મિજાજ તરતો હશે…”
આજે ચંદ્રકાંત બક્ષીનો જન્મદિન …… બક્ષીબાબુ આપણી વચ્ચે નથી પણ એમનો સલ્ફયુરિક મિજાજ જ્યારે “એકો અહં, દ્વિતીયોનાસ્તિ”ની વિભાવના કરે ત્યારે તેમના માટે માનવું જ રહ્યું કે, “હું એક જ છું, મારા જેવો બીજો નથી.”
જીવનના અંતિમ ઉચ્છ્ર્વાસ સુધી
જીવન સમાપ્ત થતું નથી.
આ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે.
પહેલો પુરુષ એકવચન છે, એ બીજો નથી.
એ અદ્વિતીય હોય અથવા ન હોઈ શકે.
પણ એનો દ્વિતીય નથી,
એના અંગૂઠાની છાપ, એના અક્ષરોના મરોડ,
એના અવાજની ગહરાઈ, એના ચહેરાની રેખાઓ,
એના અનુભવનો ગ્રાફ,
એના ભૂતકાળના ઉભાર ઉતાર,
એના રક્તસંબંધો અને દિલસંબંધો,
એનું પતિત્વ-પિતાત્વ-પુત્રત્વ અને સ્વત્વ અને
અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈને
એક એવા બિંદુ પર આવીને ઊભા રહી જાય છે
જ્યારે કહી શકે છે :
એકો અહં, દ્વિતીયો નાસ્તિ …..
ન ભૂતો ન ભવિષ્યતિ …..
હું એક જ છું .
મારા જેવો બીજો નથી.
- ચંદ્રકાંત બક્ષી

બહુ સરસ વાત કરી છે બક્ષી સાહેબે,દરેક માણસનું પોતાનું વજુદ હોવું જ જોઈએ અને એ વજુદ માણસ પોતાની મૌલીકતા દ્વારા જ સીદ્ધ કરી શકે.
બેખુદી બેસબબતો નહીં
કુછતો હૈ જીસકી પર્દાદારી હૈ-
આઈ એમ ધ બેસ્ટ કહેવાની તાકાત જોઈએ!
ખુબજ સરસ છે.
બક્ષી સાહેબ નું એક વાક્ય મને ઘણુંજ ગમે છે કે ગુજરાતી સાહીત્યમાં હું આવ્યો તે પહેલાં અને હું નહી હોઉ ત્યારે એક ફરક હશે અને એ ફરક મારા લીધે હશે
બક્શેી એટ્લે બક્શેી એટ્લે બક્શેી…