નરો વા કુંજરો વા !

 

મળે હર પ્રશ્નનો ઉત્તર નરો વા કુંજરો વા ;
યુધિષ્ઠિર આજ પણ હાજર ? નરો વા કુંજરો વા.

ફરી શું યુદ્ધની સંભાવના ચારેતરફ છે ?
જરા બસ ફેંકતા કંકર ? નરો વા કુંજરો વા.

ક્ષણો જો એકસરખો વેશ પહેરી નીકળે છે,
અને એ વેશની ભીતર ? નરો વા કુંજરો વા.

યુગોથી એક જણ ખુદનો જ પડછાયો પકડતો,
અડોઅડ ને છતાં અંતર ? નરો વા કુંજરો વા.

સડકના સખ્ત ભરડામાં મરે સહુ માણસો લ્યો,
સડક નામે હશે અજગર ? નરો વા કુંજરો વા.

- જાતુષ જોશી

 

મહાભારતમાં ધર્મનિષ્ઠ , સત્યવક્તા યુધિષ્ઠિરે અશ્વત્થામાના મૃત્યુ વિશે ઉત્તરમાં નરો વા કુંજરો વા કહ્યું પણ તેઓ તેને પણ પાપકર્મ જ સમજ્યા હશે કારણ અર્ધસત્ય એ અર્ધજૂઠ જ હોયને ?   કવિ જાતુષ જોશી બહુ મજાનો રદ્દીફ લઈ જીવનની નાજુક અને ગંભીર વાતો આ ગઝલમાં સહજતાથી કરી દે છે. આજે પણ ઘણાં પ્રશ્નનો ઉત્તર નરો વા કુંજરો વા જ છે તે સત્યને રજૂ કરતો મત્લાનો શેર જ દમદાર ને ચોટદાર છે અને એમાં પણ યુદ્ધની સંભાવનામાં પ્રશ્નાર્થ ચિહ્.ન મૂકી પછી કહે છે “જરા બસ ફેંકતા કંકર ? અને ઉત્તર નિઃશંકપણે “નરો વા કુંજરો વા” ….તો સમયને પણ કવિએ બક્ષ્યો નથી તેના જૂજવાં રુપની ભીતર પણ – નરો વા….  તો યુગોથી ખુદનો પડછાયો ( કયો? )  પકડવા મથતા ઈન્સાનને પણ મળતો જવાબ – નરો વા…. અને અકસ્માતોની આ હારમાળ સર્જતી સડક પણ.. ? ? જો જો કદાચ ’જ’ ગઝલ ‘ના’ ગમે તો તમે ના કહેતાં “નરો વા કુંજરો વા”……

 

 


4 Comments to “નરો વા કુંજરો વા !”

  1. sunil shah says:

    નવા જ રદીફમાં સુંદર ગઝલ..

  2. neetakotecha says:

    ફરી શું યુદ્ધની સંભાવના ચારેતરફ છે ?
    જરા બસ ફેંકતા કંકર ? નરો વા કુંજરો વા.

    are roj em thay che ke aaje yudhdh thashe…ane e pan mahayudhdh karta pan vadhare hoy che…

    khub j saras ane sunder

  3. pragnaju says:

    નરો વા કુંજરો વા એટલે વિકલ્પ બતાવી સત્યને ઢાંકવા પ્રયત્ન કરવો
    તેના રદીફવાળી ગઝલ ગમી
    યુગોથી એક જણ ખુદનો જ પડછાયો પકડતો,
    અડોઅડ ને છતાં અંતર ? નરો વા કુંજરો વા.
    સડકના સખ્ત ભરડામાં મરે સહુ માણસો લ્યો,
    સડક નામે હશે અજગર ? નરો વા કુંજરો વા.
    વાહ

  4. જાતુષની ગઝલના દરેક શે’ર વાંચી અને અટકી જવાય છે.મન ઊંડા વિચારમાં સરી પડે.શું સત્ય એ અપૂર્ણ કે અરધું હોય શકે?

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME