યુગવણકર : કૃષ્ણલાલ શ્રીધરાણી
વણઢાંક્યા જગનો સાદ, સાંભળ યુગ ચાદર વણનાર !
હિમ શિયાળે ધરણી ધ્રૂજે , મેઘની છૂટે ધાર !
દેહ તણી મરજાદ છુપાવા, ચીંથરાનો ન આધાર ! – સાંભળ.
વર્તમાને તેં પાટલી માંડી , ખાંભી અનંતને આર !
ભૂતને તાણે ભરતો જાતો, ભાવી તરંગના તાર ! – સાંભળ.
છેડલે મૂકી અહિંસાની આરી , સાચની હીર કિનાર !
આત્મવિલોપન, આતમ મોચન, કાંજી થકી સંચાર ! – સાંભળ.
પથ્થરની અણભેદ દીવાલો , રૂંધતી વણકર કાર;
ઈંટચૂના વીંધી તાંતણા થાતા, વિશ્વમાં એકાકાર ! -સાંભળ.
- કૃષ્ણલાલ શ્રીધરાણી
ગાંધીજીને ‘જુવાન ડોસલો’ કહેનાર કૃષ્ણલાલ શ્રીધરાણીએ તેમને ‘યુગવણકર’ કહીને પણ બિરદાવ્યા છે. રેંટિયા પર ખાદી કાંતતા ગાંધીજીએ આ સ્વતંત્રતાની ચાદર કેમ વણી તેનું સુંદર વર્ણન કાવ્યમાં કવિએ કર્યું છે. કલકત્તામાં જોયેલ ગરીબ સ્ત્રીવાળી ઘટનાનો ઉલ્લેખ કરતાં કહે છે ‘દેહ તણી મરજાદ છુપાવા,ચીંથરાનો ન આધાર !’ અને પછી ભૂતકાળના તાણાવાણાને વણતાં ભાવિનાં તાર આઝાદીના જોડાઈ જાય છે. તો આ ચાદરને અહિંસાની અને સત્યરૂપી હીર (રેશમ)ની કિનાર પણ મૂકી છે. આજે રેંટિયાબારશે આ ‘યુગવણકર’ને લાખો સલામ….!!

દેહ તણી મરજાદ છુપાવા, ચીંથરાનો ન આધાર !
સાચ્ચે જ ખુબ સરસ છે આ વાત…હ્રદય ચીરી નાંખે તેવી…
સુંદર રચના અને શૈલી.. આબેહુબ નિરૂપણ..
અતિ સુંદર…! બાપુને અને બાપુ વગરનાં રેંટિયાને લાખો સલામ…!
વર્ષો પહેલાં ભણેલી આ કવિતાને હું તો સાવ ભૂલી જ ગઈ હતી… અને એવી ભૂલી ગઈ હતી કે આજે એકદમ નવી જ લાગી.
આભાર પિંકી !
પ્રસંગને અનુરુપ ખૂબ સુંદર રચના
છેડલે મૂકી અહિંસાની આરી , સાચની હીર કિનાર !
આત્મવિલોપન, આતમ મોચન, કાંજી થકી સંચાર ! – સાંભળ.
બધું જ કહી જાય છે .
આજે આ પણ વાંચશો
* ગાંધી વ્યક્તિ તરીકે નહીં પણ વિચારની રીતે જરુરી છે!
*http://niravrave.wordpress.com/
શબ્દોનું સુંદર વણાટકામ…
ગાંધીયુગનું સુંદર ગીત વાંચી મજા આવી.
સુધીર પટેલ.