શું ફેર પડે છે ? : કૃષ્ણ દવે
શું ફેર પડે છે ?
પાંચ-પચીસ-પચાસ કે પાંચસો ?!!
આપણે તો એમનાં પેટનું પાણીયે નથી હલાવી શકતાં….
જુઓને કેવાં સહનશીલ અને સહિષ્ણુ ?!!
એમ કાંઈ અકળાઈ ના ઊઠે – નાની નાની વાતોમાં,
પેલાઓની જેમ,
એય ઢાળી દે બે ટાવરોનાં બદલામાં -
બે-ચાર દેશ……
- કૃષ્ણ દવે
એ શહીદોને આજે એક સલામ અને વંદન સહ…. કે જેણે પોતાનાં પેટની કે પેટનાં જણ્યાની ચિંતા કર્યા વિના સામી છાતીએ ગોળીઓ ઝીલી. જંગ તો આપણે તેમને ગુમાવીને હારી જ ચૂક્યા છીએ. આશા રાખીએ કે રાજકારણીઓનાં પેટનું પાણી હલે તો ફરી આવાં બાહોશ વીરોને ગુમાવવા ના પડે.

સાચી વાત…
કોઇ ફરક નથી પડતો એનું જ દુ:ખ છે ને ?
ખૂબ સચોટ..હમેશની માફક જ…