પતંગનું કાવ્ય : દામોદર ખુશાલદાસ બોટાદકર

-
કંઈક કરતાં તૂટે, તૂટો હવે દ્રઢ દોર આ !
હૃદય સહસા છૂટે, છૂટો કુસંગતિથી અહા !
પરશરણ આ છૂટ્યે છોને જગત સુખ ના મળે !
તન ભટકતાં સિંધુ કેરા ભલે હૃદયે ભળે !
ભડ ભડ થતાં અગ્નિ માંહે ભલે જઈ એ બળે,
ગિરિકુહુરની ઊંડી ઊંડી શિલા પર છો પડે.
મૃદુલ ઉરમાં ચીરા ઊંડાં ભલે પળમાં પડે,
જીવન સઘળું ને એ રીતે સમાપ્ત ભલે બને,
પણ અધમ આ વૃતિ કેરો વિનાશ અહા થશે,
પર કર વશી નાચી રે‘વું અવશ્ય મટી જશે;
રુદન કરવું વ્યોમે પેસી નહીં પછીથી પડે,
ભ્રમણ ભવના બંદી રૂપે નહીં કરવું રહે.
- દામોદર ખુશાલદાસ બોટાદકર
મિત્રો, આ ગીત પતંગને ઉદ્દેશીને જ લખાયું છે જો કે આઝાદીની ચળવળ સાથે જોડી દઈ કવિએ તે સમયનાં પ્રવાહ મુજબ ગાંધીવિચારને આ ગીતમાં વણી લીધાં છે. જો કે અધ્યાત્મ રીતે પણ જગતનાં દોરથી છૂટવાની મજા કંઈક ઓર જ હોય અને તો જ તો પતંગની જેમ આત્મા મુક્ત ગગનવિહાર કરી શકે. પતંગ સાથે ટુક્કલ પણ ચગાવીશું આજે વૅબમહેફિલ પર કારણ નરસિંહરાવ દિવેટીયાની પુણ્યતિથિએ પ્રેમળ જ્યોતિ ‘Lead kindly light’ સાથે ….. !!!
.
.
the attachments to this post:


સુંદર ભાવવાહી કાવ્ય… કવિતા એ સમયે માત્ર કવિતા નહોતી, સમાજસેવાનો એક ભાગ પણ હતી….