ગાંધી બાપુ : ચંદ્રકાંત નિર્મલ
.
પૂજ્ય બાપુ -
હા, ગાંધી બાપુ…. મળ્યા’તા ! એક વાર,
પૂછતા’તા ભારતને કેમ છે ?
મેં કહ્યું, બાપુ, હજુય બીજી ઑકટોબરે રજા રખાય છે.
ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભા ય થાય છે…..’
કોઈ વડીલ પૂછે છે…. શું છે આજે ?
અને આનંદની વાત એ છે કે,
યાદ કરાવીએ એટલે યાદ પણ આવી જાય એમને !
પણ જો બીજી ઑકટોબરે રવિવાર આવે તો,
આપને યાદ કરતાં બીજું વરસ આવી જાય છે.
રજા તો રવિવારની જ હોય ને ?
સિદ્ધાંતો ! સત્ય ! અહિંસા ! અપરિગ્રહ !
……..અઘરાં શબ્દો છે.
હા ! ખાદીની પ્રૉડક્ટમાં વળતર અપાય છે, આખો મહિનો, ઑકટોબર .
પણ ૩૦ જાન્યુઆરીની બહુ યાદ નથી આવતી,
અને એમાં પણ એમનો વાંક નથી.
એક જ વ્યક્તિનાં કેટલા પ્રસંગો યાદ રહે ? બીજાં કામ પણ હોય ને !
- ચંદ્રકાંત નિર્મલ
.
.
બીજાં બધાં કામો વચ્ચે – જેણે આઝાદીના શ્વાસ આપ્યાં તેનાં શ્વાસ ખૂટ્યાની તારીખ ભૂલી જઈએ તે પહેલાં તેમની પુણ્યતિથિએ શત શત વંદન સહ……!
.
.
.
.

ખૂબ ચોટદર કટાક્ષ..
૩૦મી જાન્યુ.ના અનુસંધાને પ્રસ્તુત રચના ઉચિત ગણી શકાય,
સાથે-સાથે લાંબા(આપત્તિજનક)વિરામ પછી શબ્દશઃ પુનઃકાર્યરત થયું એ આનંદની વાત છે…..
ઈશ્વર સહુને સદબુધ્ધિ પ્રદાન કરે એજ અભ્યર્થના.
સરસ કટાક્ષ — ગુજરાતી સમાચારમાં સાભળ્યું કે એક શહેરમાં મ્યુનિસિપલ કાર્યકર્તાઓ ૨૬મી જાન્યુઆરીને દિવસે શરાબની મહેફિલ માણતા પકડાયા.
સાંભળ્યું છે કે પોરબંદરમાં પણ આવી સામાજીક બદીઓ વધી રહી છે. ગાંધીજી યાદ રહેશે — નહિ ભૂલાય. કેવી રીતે?
પ્રીતમ લખલાણી: સત્યનું પગલું
કવિ: પ્રીતમ લખલાણી
પુસ્તકનું નામ: દમક
કાવ્યનું નામ: સત્યનું પગલું
પૃષ્ઠ: ૬૬
રોજ સવારે
ગાંધીચોકમાં
ઝાડું વાળતાં
અઢળક પગલાંનો ઢગલો જોઈને-
બીડી ફૂંકતો રામજી વિચારે:
આ બધાંમાં
સત્યનું પગલું કયું હશે?
બાપુ… !!! જતે દિવસે ફક્ત-ફક્ત ચલણી “કાગળો” પરના ફોટામાંના જણ બનીને ન રહી જાય તો જ નવાઈ… બાકી ૬ ડીસેમ્બર જેવું કશુંક કરવા માટે કોઈને ૨જી ઓક્ટોબર હજી સુધી માફક નથી આવી કદાચ. જે દિવસે આવી ગઈ ત્યારથી તો ૨જી ઓક્ટોબરનું અનુસંધાન પણ “બાપુ” સાથેથી હટી જઈને દુર્ઘટના સાથે ન સંકળાઈ જાય તો સારું !!!
[...] વેબ મહેફિલ પર વાંચોઃ ગાંધી બાપુ : ચંદ્રકાંત નિર્મલ [...]