મૂર્તિ : મધુ કોઠારી
મૂર્તિને
હું ઓળખી ન શક્યો
તેથી મારે
માણસોને પૂજવા પડે છે !
* * * * *
આ
મૂર્તિ સ્થિર
પ્રતીક્ષા કરે છે
કોની યુગોથી ?
* * * * *
મૂર્તિ
એટલે
લાગણીને
મીણમાં ઢાળવી તે
અને ધાતુની ચામડીમાં
જડી દેવી તે.
* * * * *
કૈં કેટલાય જન્મ
પ્રકાશની ગુફામાં
લીધા પછી
અને સફેદ શ્વાસના
તરાપા પર સદીઓથી
તર્યા પછી
મૂર્તિ બની શકાય છે.
- મધુ કોઠારી
નિરાકાર , નિર્ગુણ પરમ તત્ત્વ પ્રત્યેની પોતાની લાગણીઓને ધાતુની ચામડીમાં જડી, મનુષ્ય તેને મૂર્ત સ્વરૂપ તો આપે છે. પણ આ કલિયુગમાં સદ્.ગુરૂ કેમ ઓળખાય અને તે તો બસ ‘માણસ’ – માત્રને જ પૂજે છે !! અને મૂર્તિ પણ જાણે કે ઈશ્વરની શોધમાં સ્થિર ઊભી રહે છે. જો કે, પ્રકાશ ( પરમ તત્ત્વની ઓળખ ) ની ‘ગુફા’ માં કૈં કેટલાંય જન્મ લીધા પછી ‘સફેદ શ્વાસ’ ( પુણ્ય ) લીધા હોય તો જ મૂર્તિ બની શકાય છે.
ધર્મમાં પ્રવર્તિત વિડંબનાઓનું કવિ સુપેરે નિરુપણ કરે છે.
.

ખૂબ સુન્દર….