માધવ ક્યાંય નથી મધુવનમાં : હરીન્દ્ર દવે

 

krishna 

( માધવ ક્યાંય નથી મધુવનમાં… !! )

 ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં.
માધવ ક્યાંય નથી મધુવનમાં.

કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
“યાદ તને, બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી ?”
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં.
માધવ ક્યાંય નથી મધુવનમાં.

કોઈ ન માગે દાણ, કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં.
માધવ ક્યાંય નથી મધુવનમાં.

શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમા.
માધવ ક્યાંય નથી મધુવનમાં.

- હરીન્દ્ર દવે

 

કામણગારો કાનુડો માત્ર જશોદાનો, રાધાનો કે ગોપીઓનો જ નથી.  સાહિત્ય, નૃત્ય, ચિત્રકળામાં પણ તેને સૌએ એટલાં જ લાડ કર્યાં છે. કાન ગોકુળ છોડીને ચાલ્યો જાય છે, અને તેના વિરહમાં જશોદા, રાધા કે ગોપ-ગોપીઓ જ નહિં … કદમ્બની ડાળીઓ, યમુનાનાં નીર, અને વેણુ પણ વિરહની વેદના અનુભવતાં હતાં અને કવિ વેદનાની એ પળોને આ ગીતમાં  કંડારી છે.

 

 

.


the attachments to this post:

krishna
krishna


6 Comments to “માધવ ક્યાંય નથી મધુવનમાં : હરીન્દ્ર દવે”

  1. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

    સ્વ. હરીન્દ્ર દવે આ ગીતથી અમર થઈ ગયા.

  2. sudhir Patel says:

    હરીન્દ્રભાઈનું અમર ગીત.
    સૌને કૃષ્ણ-જન્માષ્ટમિની વધાઈ!
    સુધીર પટેલ.

  3. Vishvesh says:

    આહા!! One of my most fav songs..thx for this!

  4. avani m. buch says:

    જય શ્રિ કૃષ્ણ

  5. અદભુત રચના…

  6. makanji ahir says:

    ગોપિ ભાવ કવિતા કવિ ને દિલ થિ પ્રનામ જય શ્રિ ક્રિશ્ન્ના

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME