મારે જાવું સામે કાંઠે : ડૉ. મનોજ જોષી
રસ્તા વચ્ચે મળવું કાયમ,
અંદરથી ખળભળવું કાયમ.
દૃશ્યો લીલાં કરવા માટે
આંખોનું ઓગળવું કાયમ.
અણસારો છે કે અંગારો,
જોતાં સાથે બળવું કાયમ.
હાથે આવ્યું પાણી ઢોળી,
આદત છે, ટળવળવું કાયમ.
મારે જાવું સામે કાંઠે,
તારે પાછા વળવું કાયમ.
- ડૉ. મનોજ જોષી
જામનગરનાં તબીબ મનોજ જોષી રોગની નાડ પારખતાં પારખતાં હ્રદયની નાડ પણ પારખી લે છે, અને અંદરનો ખળભળાટ દૂર કરી સામે કાંઠે જવા પણ તત્પર છે.
.

વાહ…ખુબ સુન્દર રચના… ધન્યવાદ મનોજભાઈને.. અને પિન્કીબેનને તો ખરા જ
સુંદર ગઝલ… ટૂંકી બહેરમાં ઉત્તમ કામ થયું છે…
સરસ ગઝલ!
સુધીર પટેલ.
મારે જાવું સામે કાંઠે,
તારે પાછા વળવું કાયમ.
વાહ..સુંદર શબ્દ રમત..મજા આવી જાય તેવી રચના છે.