ન કર : કીર્તિકાન્ત પુરોહિત
સંબંધોમાં ભીંત લઇ ગાળો ન કર,
નીરવ જળમાં કાંકરીચાળો ન કર.
સફેદીમાં સાત રંગો ઓગળ્યા,
અધીરાઇમાં અક્ષર કાળો ન કર.
ભજવજે હાલત મુજબના વેષ પણ,
કુશળ નટ થા, ખુદને તરગાળો ન કર.
ભમરડાના ચક્કરો ગણતા રહી,
વછૂટી દોરીનો હોબાળો ન કર.
નિહાળી નભમાં પતાકા ‘કીર્તિ’ની,
ઉછીનો ભાલો અણિયાળો ન કર.
- કીર્તિકાન્ત પુરોહિત
માણસ જાત કદાચ કાંકરીચાળો ના કરે પણ, હોબાળો કર્યા વિના તો ના જ રહી શકે. અને માણસની આ જ ફિદરતને રોકવાનો એક પ્રયત્ન. આખરે તો સૌએ સંસારરૂપી નાટકમાં પાત્ર ભજવવાનું છે. તરગાળો બનવાને બદલે કુશળ નટ બનવું વધુ યોગ્ય છે ને !!
.

માણસ શુંશું ન કરે તો સખણો રહી શકે એ વિચારતા થઈ જવાય છે, થોડીક વાતો કવિશ્રીએ કરી છે એટલુ ન કરે તો પણ ભયો ભયો….
સુંદર ગઝલ…
પણ આ ગઝલનું છંદવિધાન સ્પષ્ટ ન થયું…
ઉછીના ભાલાવાળી વાત ગમી ગઈ…
સરસ ગઝલ કાંકરીચાળૉ ન કરવાળી વાત ગમી અભિનન્દન
સરસ ગઝલ!
સુધીર પટેલ.
આ જ જમીન પર લખાયેલી એક બીજી ગઝલનો મત્લા:
શાંત જળમાં કાંકરીચાળો ન કર
રૂઝવેલા ઝખ્મને આળો ન કર…
સરસ ગઝલ.
લગાગાગા ગાલગાગા ગાલગા ?
આભાર પંચમભાઈ…
આ છંદવિધાન મેં પણ વિચાર્યું હતું, પણ એ અહીં જળવાયું નથી:
અધીરાઈમાં અક્ષર કાળો ન કર…
આભાર મિત્રો. ગયા વર્ષે આ ગઝલ ડો.રશીદભાઇએ ધબકમાં મૂકી હતી.પંચમભાઇએ લખેલ છંદોવિધાન મને અભિપ્રેત હતું.