વસંત જગાડી કોણે પાનખરે ! : નિરંજના દેસાઈ
નીરવ સૃષ્ટિને કોણે ભરી કલશોરે ?
વસંત જગાડી કોણે પાનખરે !
કોણે કીધી મનવીણાને ઝંકૃત નૂતન રાગે,
ક્યાંથી આ ઝણકાર સુણાયે જીવનના ધબકારે !
વસંત જગાડી કોણે પાનખરે !
કોના આ મૃદુ સ્પર્શે જાગે, રોમ રોમ ઉલ્લાસ,
કોના ઈશારે નાચે થૈ થૈ, ઉર સૂતા અભિલાષ !
વસંત જગાડી કોણે પાનખરે !
ક્યાંથી આ ચેતન સરવાણી આજ અચાનક પ્રગટે,
અંતરનાં મૂંગા શબદોને છંદ અનેરા લાધે !
વસંત જગાડી કોણે પાનખરે !
- નિરંજના દેસાઈ
સૃષ્ટિમાં ચારેકોર વસંત પથરાયેલી છે પણ, જો દિલમાં પાનખર જ ઊગી હોય તો ? પણ, વસંતનાં કામણ હૈયામાં ઊગેલી પાનખરને પણ ઝંકૃત કરી જાય છે અને રોમ-રોમ પુલકિત થઈ જાય છે.
.
the attachments to this post:


સુંદર ! લય ખોડંગાતો હોય એમ જણાય છે…
પાનખરમાં વસંત જગાડવાની વાત ગમી. ભાવ સરસ છે.