ચાલ્યા જતા પ્રસંગની : જવાહર બક્ષી
ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે,
તો પણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.
જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને,
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.
મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યા કરું,
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે.
મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં ?
એ શું કે વાત વાતમાં તારું સ્મરણ રહે !
સ્વપ્નાય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયા,
જીવનમાં તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે ?
- જવાહર બક્ષી
જવાહર બક્ષી, જેઓએ પોતાની સાતસો-આઠલો ગઝલોમાંથી માત્ર એકસોને આઠ ગઝલ જ પ્રકાશિત કરી. તેઓની ગઝલમાંથી કોઈ એક ગઝલ પસંદ કરવું ખૂબ જ કપરું જ લાગે. અને આથી આજે તેમનાં જન્મદિને માણીએે તેમની ખૂબ જ જાણીતી અને માનીતી બે ગઝલો….! જેમાં ત્રીજો શેર તો અદ્.ભૂત થયો છે.
.

“સવ્પનાય બહુ તો ઓગળી ઝાકળ થઇ ગયા”
વાહ!
ખુબ જ સરસ રચના છે…
“માનવ”
સાદ્યંત સુંદર રચના… જવાહરભાઈની ગઝલોમાં કશું કહેવાપણું હોય જ નહીં….
સાદ્યંત સુંદર રચના……
વાહ…
સરસ રચના. પહેલો શેર બહુ ગમ્યો
લતા હિરાણી