ગુજરાતમાં : મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’
શું છે ? પૂછો, શું નથી બોલો, નયા ગુજરાતમાં.
ઉત્કર્ષનો ઉદ્યાન ખીલ્યો પૂર્ણતયા ગુજરાતમાં.
સાવજ-ડણક, ગરવાનું ગુંજન, મસ્ત મેળા, ઉત્સવો,
છે શક્તિ, ભક્તિ, રંગ-રોનક, પ્રેમ, દયા ગુજરાતમાં.
ઘનશ્યામ, ગાંધી, આ વલ્લભ, નર્મદ, અખો, નરસિંહ સૌ,
નરપુંગવો અવતારધારી થઈ ગયા ગુજરાતમાં.
અદ્ભૂત આકર્ષણ રહ્યું છે ગુર્જરી માભોમમાં,
છોડી ગયા, એ પણ પછી પાછા વળ્યા ગુજરાતમાં.
સામર્થ્ય, સાહસ, શૌર્ય, સાક્ષરતાનો શુભ સંગમ અહીં,
તલવાર પણ ખેંચાઈ, ઢોલિયાયે ઢળ્યા ગુજરાતમાં.
શૃંગો, સરિતા, શિલ્પ-સ્થાપત્યો, ઘટા, વન, રણ, ઝરણાં !
લ્યો, એ વચ્ચે નવયુગનાં ડંકા સાંભળ્યા ગુજરાતમાં.
હર ‘ખ્વાબ’ને સાકાર કરતી ચેતના પ્રગટી હવે,
સંશય ટળ્યા, આશય ફળ્યા, રંગો ભળ્યા ગુજરાતમાં.
- મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’
નયા ગુજરાતની કલ્પના આ ગઝલમાં વ્યકત કરવામાં આવી છે અને તે કલ્પનાને આજે પચાસ વર્ષે પૂર્ણતયા સાકાર થતી આપણે જોઇ શકીએ છીએ.
.

No words to express, such a wonderfully written……non Gujarati would love to move to Gujarat………..
‘ખ્વાબ’ની સુંદર ગઝલ!
સુધીર પટેલ.
…
ધન્ય છે શ્રી મોદીને કે જેમણે ગુજરાતીઓને ગુજરાત માટે ગર્વ લઇ શકે તેવું ગુજરાતને કર્યું.
વાહ વાહ..