રે આજ અષાઢ આયો : નિરંજન ભગત

meghadhanushya

.

રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !

દૂરને દખ્ખણ મીટ માંડીને, મોરલે નાખી ટહેલ,
વાદળી સાગરસેજ છાંડીને, વરસી હેતની હેલ ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો !

મેઘવીણાને કોમલ તારે, મેલ્યાં વીજલ નૂર,
મેહુલાએ ત્યાં જલની ધારે, રેલ્યા મલ્હારસૂર ;
એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !

જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો, સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો, મને, ન લાગ્યો રંગ ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો !

આપણે રે પ્રિય, સામસામે તીર, ક્યારેય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર, વિરહનો જ વિલાપ !?
રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !

બિરહમાં બાઢ લાયો, રે આજ આષાઢ આયો !

- નિરંજન ભગત

કવિ નિરંજન ભગતની કલમે મેઘદૂતનાં વિષયવસ્તુની (?)  કાવ્યમય રજૂઆત.

.

શબ્દાર્થ : માઢ – શાસ્ત્રીય સંગીતનો એક રાગ, દખ્ખણ – દક્ષિણ દિશા,  અલકા – કાલિદાસ રચિત મેઘદૂતમાં વર્ણવેલ અલકાનગરીનો સંદર્ભ, બિરહ – વિરહ.

.

.

.

.


the attachments to this post:

meghadhanushya
meghadhanushya


3 Comments to “રે આજ અષાઢ આયો : નિરંજન ભગત”

  1. Maheshchandra Naik says:

    વિરહમા વરસાદ રેલ લાવે ત્યારે મનોભાવ વ્યક્ત કરતી રચના….

  2. વાહ… દિલ બાગ બાગ થઈ ગયું…

  3. વાહ… સુંદર ગીત.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME