અમે નમીએ તને ચિર સાથી : સ્નેહરશ્મિ

.

.

( સી.એન.વિદ્યાવિહાર, અમદાવાદ)

.

અમે નમીએ તને ચિર સાથી, સાથી વિદ્યાવિહાર,
સાથી ચિરંતન તુજ સનાતન દિપક તુજ સુકાની.

બીજકળા શી શારદ રેખા, દે અમ પ્રાણ ખીલાવી,
તારે હૈયે જ્ઞાનની સરિતા, ક્ષિતિજો વિશાળ તારી,
અમે નમીએ તને ચિર સાથી, સાથી વિદ્યાવિહાર.

કમલ સુકોમલ ઊર્મિ નિર્મળ, પ્રભા સૂર્ય સમ ભારી,
સ્ફૂરી રહી અમ અંતર આજે વાણી સાત્વિક તારી,
અમે નમીએ તને ચિર સાથી, સાથી વિદ્યાવિહાર.

સુખે દુઃખે કે જીવન મરણે એક જ ઊર્મિ અમારી,
અમ પર તારી સદાય હોજો છાયા મંગળકારી,
અમે નમીએ તને ચિર સાથી, સાથી વિદ્યાવિહાર.

- સ્નેહરશ્મિ

.

.

આજે, મોટાં થયા પછી, જીવનમાં શિક્ષણનું મૂલ્ય સમજાય છે.  વળી,   સી.એન.વિદ્યાવિહાર જેવી નામાંકિત સંસ્થામાં શિક્ષા પ્રાપ્ત થઇ તે પણ  જીવનનો એક અનેરો લ્હાવો હતો.  ખાદીનો યુનિફોર્મ , પ્રાર્થના મંદિર કે કર્મનિષ્ઠ શિક્ષકો આજે પણ આંખ સામેથી હઠતાં નથી.  કદાચ એટલે જ , સ્નેહરશ્મિ  ( ઝીણાદાદા) એ ’વિદ્યાવિહાર’ને ચિર સાથી અને સુકાની કહ્યું છે.   શિક્ષક દિન નિમિત્તે,  હાથ પકડી, એકડો ઘૂંટાવનાર અને સાથે સાથે , જીવનનાં પાઠ શીખવતાં સૌ શિક્ષકો અને ગુરુજીને શત શત વંદન.

;

.

.


the attachments to this post:

cnvidyalay
cnvidyalay


2 Comments to “અમે નમીએ તને ચિર સાથી : સ્નેહરશ્મિ”

  1. harshad brahmbhatt says:

    IAM PRUD OF ABHU ALL HAPPY TO RD ON IT

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME