ન-કશાનું નગર : નિરંજન ભગત

.

( a painting by Dutch traveller Phillipus Baldaeus during 17th century )

.

વર્ષોથી તેઓ એક નગર રચી રહ્યા,

કોઈને ખબર નથી

એનાં ઈંટ, માટી ને પથ્થર ક્યાંથી આવી રહ્યાં,

એ તો જો કે એમને પણ ખબર નથી.

કે તેઓ એ બધું ક્યાંથી લાવી રહ્યા.

વર્ષોથી તેઓ એક નગર રચી રહ્યા.

વર્ષોથી કોઈ માણેકનાથ બાવો જાદુઈ સાદડી વણી રહ્યો.

કોઈને ખબર નથી.

કે શાથી એ રાતે વણીને દ્‍હાડે ઉકેલી રહ્યો.

પણ એને શું ખબર નથી.

કે છાનોમાનો એ શું સંકેલી રહ્યો ?

વર્ષોથી કોઈ માણેકનાથ બાવો જાદુઈ સાદડી વણી રહ્યો.

વર્ષોથી તેઓ એક નગર ખચખચી રહ્યા.

વર્ષોથી કોઈ માણેકનાથ બાવો બણબણી રહ્યો.

વર્ષોથી કોઈ માણેકનાથ બાવો ગણગણી રહ્યો.

વર્ષોથી તેઓ એક નગર કચકચી રહ્યા.

વર્ષોથી તેઓ જે નગર રચી રહ્યા છે તે નથી નકશાનું નગર,

વર્ષોથી તેઓ જે નગર રચી રહ્યા છે તે તો છે ન-કશાનું નગર.

- નિરંજન ભગત

.

નગર એટલે ઈંટ, માટી ને પથ્થર માત્ર ?  નકશામાં દેખાતું નગર – અમદાવાદને સત્તરમી સદીમાં કોઇ ડચ મુસાફરે રંગોમાં ઉતાર્યું છે. પણ એ સિવાય પણ, ન-કશાનું નગરમાં કશુંક તો છે.

.

.

.

.


the attachments to this post:

Old Ahmedabad--l
Old Ahmedabad–l


No Comments so far.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME