Archive for the ‘અનિલ જોશી’ Category
મારી કોઈ ડાળખીમાં : અનિલ જોશી
Wednesday, July 28th, 2010
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !
પંખી સહિત હવા ચાતરીને જાય, એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં, પણ મારામાં ઝાડ હજી જાગે.
માળામાં ગોઠવેલી સળી હું નથી, મને વીજળીની બીક ના બતાવો !
એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય, કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય, પડવાને છે કેટલી વાર ?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી, મને સૂરજની બીક ના બતાવો !
- અનિલ જોશી
લોકગીતોની જેમ જ જેનાં ગીતો લોકહૈયે વસેલાં છે, તેવાં કવિ શ્રી અનિલ જોશીનાં જન્મદિને, માણીએ મને ખૂબ ગમતું તેમનું એક ગીત.
.

