Archive for the ‘અરુણા જાડેજા’ Category

  • પુસ્તકો : અનુ – અરુણા જાડેજા


  • પુસ્તકો : અનુ – અરુણા જાડેજા

    Friday, April 23rd, 2010

     

    પુસ્તકો ખીચોખીચ ભર્યું આભ હોય

    ત્યારે, આપણે જમીન થવું પડે છે

    એમને ઊંડે મૂળે ઊતરવાં દેવાં પડે છે

    આપણામાં.

    ક્યારેક એ વૃક્ષ થઈ જાય ઘટાદાર

    ત્યારે આપણે પથિક થઈને

    વિસામો લેવાનો હોય છે એમના છાંયામાં

    નિરાંતે.

    ક્યારેક ક્યારેક તો એ પંખી થઇ જાય

    ત્યારે પાંખોમાં બળ સમેટીને

    ઊડવું પડે છે આપણે, એમની

    હારોહાર.

    પુસ્તકોમાંથી ક્યારેક ક્યારેક શિશિર પણ મળી આવે

    પછી આપણે વેરાન વગડો થઈ જઈએ

    ત્યારે એ જ વસંતનો પગરવ થઈ જાય

    આપણા માટે.

    પુસ્તકોને સ્પર્શ હોય, ગંધ હોય

    પણ એ માટે મનને ફૂટવી જોઇએ

    સંવેદનાની લાખો પાંખડીઓ

    પછી તો પુસ્તકો ઉડાડી દે

    વસંતનાં સઘળાં રંગો

    પુસ્તકોને સમજાય છે બધું, બધું

    આપણને સમજાય છે કે ?

    પુસ્તકોનું આભ-શું મન ?

    - નીલિમા પાલવણકર
    અનુ્વાદક : અરુણા જાડેજા

     

    પુસ્તકોની છાજલી  …. એટલે રમેશ પારેખ માટે તો તીર્થધામ.   તો કવિયત્રી નીલિમાબેનને પુસ્તકમાં આખુંયે આભ સમાયેલું લાગે  છે. પણ પુસ્તકની  ઊંચાઈને પામવા આપણે આપણી ઊંડાઈ માપવી પડે.  પુસ્તકોને તો બધુંય સમજાતું હોય છે પણ આપણને ?  આપણે વિવેચક બનીને ક્યારેય પુસ્તક માણી શકીશું ?  પુસ્તક વાંચવું એ પણ એક કળા છે અને તે કળા વાચક કે ભાવક બનીને જ આત્મસાત્ કરી શકાય  નહિં કે વિવેચક.   આજે ‘વિશ્વ પુસ્તક દિને’  આ કળાને આત્મસાત્ કરવાનો એક પ્રયત્ન કરી જોઇએ ?!!

     

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME