Archive for the ‘ઉષા ઉપાધ્યાય’ Category

  • મુક્તિ : ઉષા ઉપાધ્યાય


  • મુક્તિ : ઉષા ઉપાધ્યાય

    Sunday, March 8th, 2009

     

    નળ કરે છળ

    તો ત્યજી શકે દમયંતી,

    રામ કહે “બળ”

    તો છોડી શકે સીતા

    રચાશે પૃથ્વી પર જ્યારે

    એવી સંહિતા

    ત્યારે

    આકાશગંગાની નક્ષત્રમાલામાં શોભતા

    સપ્તર્ષિ નક્ષત્રને છેવાડે

    રાવજીની પાછલી રવેશ જેવો

    ઝાંખું ઝાંખું પ્રકાશતો

    અરુંધતીનો તારો

    ખીલી ઊઠશે બટમોગરાની જેમ

    તેજે છલકાતો…..

    - ઉષા ઉપાધ્યાય

     

    અરુંધતીની ઉગ્ર તપશ્ચર્યા અને વસિષ્ઠઋષિનાં અતિ આગ્રહને કારણે અરુંધતિને સપ્તર્ષિમાં સ્થાન તો મળ્યું છે. કિંતુ તે તારો નાનો અને ઝાંખો છે અને ‘માનવસહજ’ કુતુહલ કોઈ પુરુષને નહીં પણ સ્ત્રીને થયું ને વ્યક્તિગત મૉરલ આ પ્રશ્નનો ઉત્તર શોધવા તેમને મજબૂર કરે છે. અને જ્યારે જવાબ મળશે એટલે કે – ધ્રુવ જેવો જ પ્રકાશિત તારો નક્ષત્રમાં તેનો હશે ત્યારે જ તેને મુક્તિ મળેલી કહેવાશે. આ વાત તો થઈ વૈદિક કાળની….. તો મધ્યયુગમાં સંત તુલસીદાસજીએ કહેલું, 

     ढोर गवार शुद्र पशु नारी ये सब ताड्न के अधिकारी ..

    જે મધ્યયુગની માનસિકતા છતી કરે અને વૈદિકકાળની સ્ત્રીની વિભાવનાને ખંડિત કરે છે પણ હવે આ યુગમાં – એકવીસમી સદીની વાત નહીં  – પણ પુરુષ સ્ત્રીની માનસિકતા સમજે છે તેવું નથી લાગી રહ્યું ?

    હિન્દી સાહિત્યનાં સમર્થ કવિ શ્રી મૈથિલીશરણ ગુપ્તને સ્ત્રીનાં દર્દનો અહેસાસ થયો છે અને ‘યશોધરા’માં કહે છે,

    ‘अबला जीवन हाय तुम्हारी यही कहानी
    आंचल में है दूध और आंखों में पानी’

    તો આપણા ગુજરાતી કવિ ‘નિમ્મેસભાઈ’ એટલે કે નિર્મિશ ઠાકર સ્ત્રીને અશ્રુનું ઘર કહી સ્ત્રીના આંતરમનને અજવાળે છે. 

     

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME