Archive for the ‘જગન્નાથ રાજગુરુ’ Category

  • ચાદર કબીરાની : જગન્નાથ રાજગુરુ


  • ચાદર કબીરાની : જગન્નાથ રાજગુરુ

    Monday, February 2nd, 2009

     

     

    હાથમાં કરતાલ મીરાંની હતી,
    ને ખરજમાં કાફી ધીરાની હતી.

    અય નબી, તારા નબીરાની હતી,
    દાસ્તાં મૌજે-ફકીરાની હતી.

    હું હતો ને તું હતી, અંટસ હતી,
    બસ હયાતી લીરે-લીરાની હતી.

    પાંવમાં છનછન છનન, છનછન છનન,
    તાન તિરકિટ ધા – મંજીરાની હતી.

    ને કપૂરી નામ વેરાતાં ગયાં,
    દોટ પણ કેવી અધીરાની હતી !

    આજ આ કફની ગઝલની પ્હેરી છે,
    એ કદી ચાદર કબીરાની હતી.

    - જગન્નાથ રાજગુરુ

     

    મીરાં, ધીરો, કબીર,નબી ખુદ ગઝલ બની આપણને છનન છન , તિરકિટ ધા તાલમાં મસ્તાન કરી ઈશ્વરીય અનુભૂતિ કરાવે છે. જગન્નાથ રાજગુરુની કલમે પરમ તત્ત્વનું શબ્દદેહે અવતરણ થયું ?!!

     

     

     

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME