Archive for the ‘જનક નાયક’ Category
અટકળ : જનક નાયક
Tuesday, June 22nd, 2010
બંધ કમરામાં જ અટકળ હોય છે,
ખોલવાની ક્યાંક તો કળ હોય છે.
વૃક્ષ, માણસ ને નદી એ સત્ય છે,
તોય હોવું માત્ર એક છળ હોય છે.
છે નગરમાં હાસ્ય ખડખડતું છતાં,
વેદનાની ક્યાંક કૂંપળ હોય છે.
કૌંચની માફક વીંધાયા કાફિયા,
તોય ગઝલો કેમ નિષ્ફળ હોય છે ?
આમ મુઠ્ઠીમાં જ છે આખું જગત,
આમ પગમાં એક સાંકળ હોય છે.
- જનક નાયક
આપણે સૌ બ્રહ્મનાં ભ્રમમાં અટવાઇને, અંતરનાં કમરામાં કેદ થઇ ગયાં છીએ. વળી, આપણાં ગ્રહો અને પૂર્વગ્રહો એ બંધ કમરાની બારી પણ ખોલવા દેતાં નથી. આપણાં અને તેનાં (ઈશ્વર) હોવાપણાંની શક્યતાની અટકળોની કળ વળે તેવી, એક કળ કવિને મળી આવે છે. બસ, પગની સાંકળ તોડી, પ્રેમથી દુનિયાને જીતી શકાય, ઇશ્વરને પણ…. એટલે કે, રિલાયન્સનાં ફોન વિના પણ, ” કર લો દુનિયા મુઠ્ઠીમેં “
.
