Archive for the ‘અધ્યાત્મ’ Category
ઈશ્વર : ચંદ્રેશ મકવાણા
Monday, August 18th, 2008આપણા મધ્યકાલીન સાહિત્યમાં ઈશ્વર કે ખુદા વિષયક રચનાઓ વધુ થયેલી જોવા મળે છે
કે શૃંગાર રસ પ્રકૃતિનો માણવા મળે અને સનમ, સાકી, મદિરા તો ખરું જ.
તો સાંપ્રતકાળમાં એક નવો જ આક્રોશ જોવા મળે છે ઈશ્વર પ્રત્યે.
ચંદ્રેશ મકવાણા પોતાની કલમ ઉઠાવે છે અને પડકારે છે તેના અસ્તિત્વને …..
ચાલ માન્યું એકલો પથ્થર નથી
તોય તું કંઈ એટલો સધ્ધર નથી
લોક લૂંટી જાય છે મંદિર પણ-
અર્થ એનો એ જ તું અંદર નથી
આભમાં પણ આદમી ફરક્યો જ છે
સાંભળ્યું છે ત્યાંય તારું ઘર નથી.
તોય શાને ઉઠતા વિખવાદ જ્યાં
તું જ એકે પક્ષમાં હાજર નથી.
એ જ કારણથી તો હું ‘નારાજ’ છું,
કેમ તારા કંઈ ખબર અંતર નથી.
- ચંદ્રેશ મકવાણા
