Archive for the ‘અછાંદસ’ Category

  • કલંક : ધર્મેશ ‘ડી’
  • Distance : વિપિન પરીખ
  • અપેક્ષા : વિપિન પરીખ
  • અબળા : પ્રીતમ લખલાણી
  • આ ક્ષણ સુધી : રાજેન્દ્ર પટેલ
  • આ વાદ કે તે વાદ : પ્રતિભા ઠક્કર
  • આપણે : પન્ના નાયક
  • આમાર એ જન્મદિન : રવીન્દ્રનાથ ટાગોર
  • ઍશ ટ્રે : મંગલ રાઠોડ
  • એ લોકો અને હું : વિપિન પરીખ
  • એક જન્મદિને : વિપિન પરીખ
  • એક નેતાને : હર્ષ બ્રહ્મભટ્ટ
  • કદાચ : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
  • કયો કાંટો છું ? : આકાશ ઠક્કર
  • કવિતા : મણિલાલ હ. પટેલ
  • કાઇપો : રમેશ પારેખ
  • કોઈ આવે તો : અહમદ ‘ગુલ’
  • ક્યાં છે કવિતા ? : ઉમાશંકર જોશી
  • ગરીબી : અજય કોઠારી
  • ગાંધી : ભાવેશ ભટ્ટ ‘મન’
  • ગાંધી : રાજેન્દ્ર શાહ
  • ઘર અશ્રુનું : નિર્મિશ ઠાકર
  • ચાલ મન ! : વિપિન પરીખ
  • જડીબુટ્ટી : વિપિન પરીખ
  • જન્મ-દિવસે : મનોજ ખંડેરિયા
  • ડૅથ સર્ટિફીકેટ : એષા દાદાવાળા
  • તમને ખબર છે : સુરેશ દલાલ
  • ધૂપસળી : ઉશનસ્‌
  • ન-કશાનું નગર : નિરંજન ભગત
  • નવજાત બાળક : રાજેન્દ્રસિંહ રાયજાદા
  • નિદાન : ફિલિપ કલાર્ક
  • પગફેરો : એષા દાદાવાળા
  • પગલું : આલ્બર્ટ આઈન્સ્ટાઈન ( અનુવાદક : રમણીક અગ્રાવત )
  • પુસ્તકો : અનુ – અરુણા જાડેજા
  • પુસ્તકોની છાજલી : રમેશ પારેખ
  • પ્રણયોત્સવ : એટલે શું ? : જયા મહેતા
  • પ્રતીક્ષા : જયદેવ શુક્લ
  • પ્રાર્થના : વિપિન પરીખ
  • પ્રેમ અને કવિતા : અખિલ શાહ
  • પ્રેમને કારણો સાથે : વિપિન પરીખ
  • ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ : સૌમ્ય જોશી
  • ભૂકંપ : હર્ષ બ્રહ્મભટ્ટ
  • મા : મિરોસ્લાફ હોલુબ
  • માણસ અને નેતા : ધીરજભાઈ શાહ
  • મારી તલાશ : મંગળ રાઠોડ
  • મારો શામળિયો : નીરવ પટેલ
  • રણોત્સવ : પંકજ ત્રિવેદી
  • રાહ જોવી : મિરોસ્લાફ હોલુબ
  • લઘુકાવ્યો : ભાવેશ ભટ્ટ
  • વર્ષાગમન : જયંત પાઠક
  • વાસંતી વધામણાં : વસંત આવ્યો તો છે : અજ્ઞાત (અનુ.શકુન્તલા મહેતા)
  • વાસંતી વધામણાં : ‘આવું ?’ : નલિન રાવળ
  • વાસ્તવિકતા : પ્રીતમ લખલાણી
  • વિસર્જન : એષા દાદાવાલા
  • વૃક્ષ : ઓમ પુરોહિત (અનુ : કિશોર શાહ)
  • વૃક્ષનું ડાઇંગ ડેકલેરેશન : દિલીપ મોદી
  • શનિવાર : કિરણકુમાર ચૌહાણ
  • શબ્દ : ઉમાશંકર જોશી
  • શબ્દોને પણ : જનક વ્યાસ
  • શું થયું મુંબઇ ? : કૃષ્ણ દવે
  • સંવેદનાના બિંદુ પર : એષા દાદાવાળા
  • સપનું : એષા દાદાવાલા
  • હથોડી : કાર્લ સેન્ડબર્ગ (અનુ : સુરેશ દલાલ)
  • હરિયાળી વસંત : શાન મેઈ (અનુ:ઉમાશંકર જોશી)
  • હું મરી ગયો…..: રમેશ પારેખ


  • ડૅથ સર્ટિફીકેટ : એષા દાદાવાળા

    Saturday, May 2nd, 2009

     

    પ્રિય દીકરા,

    યાદ છે તને ?

    તું નાની હતી અને આપણે પાનાં રમતા,

    તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો,

    ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ…..

    તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફીકેટ,

    તું મારા હાથમાં મૂકી દેતી,

    અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો.

    મને થતું હું દુનિયાનો સૌથી સુખી બાપ છું.

    આપણને કોઈ દુ:ખ હોય કોઈ તકલીફ હોય,

    તો એક બાપની હેસિયતથી તારે મને તો કહેવું જોઈતું હતું…

    આમ અચાનક,

    તારા બાપને આટલી ખરાબ હદે

    હરાવીને જીતાતું હશે… મારા દીકરા…?

    તારાં બધાં શિલ્ડ અને સર્ટિફીકેટ્સ

    મેં હજી સાચવી રાખ્યાં છે,

    પણ એનો અર્થ એ તો નથી ને,

    કે તારું ડૅથ સર્ટિફીકેટ

    પણ મારે જ સાચવવાનું…?!!

    - એષા દાદાવાળા

     

    પોતાની સહેલીના ડૅડીના હાથમાં તેનું ડૅથ સર્ટિફીકેટ જોઈ એક નાનકડું મન વ્યથિત થઈ ગયું અને તેની સંવેદનાએ ઉપાડી કલમ….. અને સાથે જ આપણને મળે છે એક ‘નાનકડી’ પુખ્ત કવિયત્રી.   એષાનું આ પ્રથમ કાવ્ય અને પ્રથમ પ્રકાશિત કાવ્ય પણ આ જ !!   કવિ બનવા માટે પહેલાં તો ‘ માણસ’  બનવું પડે એવું નથી લાગતું ?!!

    જેની સાથે દેખીતો કોઈ સંબંધ ન’તો એવી એક વ્હાલી દીકરીનાં મૃત્યુને ત્રણ વર્ષ બાદ – આજે પણ મારાથી ભૂલવું શક્ય નથી બન્યું, તો તે બાપ કન્યાદાનની ઉંમરે તેને અગ્નિદાહ આપ્યા બાદ કેમ ભૂલી શકે ?! ડૅથ સર્ટિફીકેટ જ જીવની જેમ સાચવેને ! ….કાશ !  ઈશ્વરને ત્યાં પણ ‘ પગફેરા’ નો રિવાજ હોત …….?!!

     

     

    .

    પગફેરો : એષા દાદાવાળા

    Saturday, May 2nd, 2009

     

    દીકરીને અગ્નિદાહ આપ્યો,

    તે પહેલા ઈશ્વરને

    બે હાથ જોડીને કહ્યું હતું,

    સાસરે વળાવતો હોઉં એવી જ રીતે

    મારી દીકરીને વિદાય કરું છું,

    ધ્યાન રાખીશને એનું?

    અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,

    લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!

    એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ

    આંગણામાં પાણી મૂક્યું હતું…

    નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!

    દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…

    પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો

    દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી

    એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…

    હું પણ ત્યાં જોઉં છું ને એક

    નિસાસો નંખાય જાય છે…

    ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે

    તપાસ કરાવવાની જરુર હતી,

    કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,

    દસ દિવસ થઈ ગયાં…

    અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!

    - એષા દાદાવાળા

     

    ઈશ્વર સર્જિત સમગ્ર બ્રહ્માંડમાં જીવનસંચારની દોરી તેના જ હાથમાં છે. તેની આ એકહથ્થુ સત્તામાં પણ પગફેરાનો રિવાજ ના હોવો જોઈએ ?

     

     

    .

    એક નેતાને : હર્ષ બ્રહ્મભટ્ટ

    Wednesday, April 29th, 2009

    એક નેતાને,

    સૂવાડ્યા ચંદનની ચિતા પર,

    ખાસ્સું ઘી રેડ્યું.

    પછી અગ્નિદાહ દીધો,

    પણ ચિતાને અગ્નિ સ્પર્શે જ નહિં.

    બધાં જ પ્રયત્નો નિષ્ફળ.

    છેવટે એક કવિએ બતાવેલાં ઉપાય મુજબ -

    એ નેતાની ખુરશીનાં પાયા તોડીને,

    ચિતામાં લાકડા ભેગાં ગોઠવ્યાં,

    કે તરત -

    પ્રગટી ઊઠી ચિતા

    ફડ, ફડ, ફડ……

    - હર્ષ બ્રહ્મભટ્ટ

    હર્ષભાઈએ ટૂંકમાં સીધેસીધું જ સમજાવી દીધું છે, આજે મારે તો કંઈ નથી કહેવું…
    સું કિયો છો તમે ?!!

    .

    માણસ અને નેતા : ધીરજભાઈ શાહ

    Tuesday, April 28th, 2009


    neta

    એક માણસને

    કેડેથી બેવડો

    વળી ગયેલો જોઈને

    એક રાજકીય નેતાએ

    તે માણસને પૂછ્યું,

    ‘હે મિત્ર ! દેશનો ભાર તો

    મારા માથે છે,

    તું કેમ બેવડો

    વળી ગયો છું ?’

    માણસે કહ્યું,

    ‘ નેતાજી, એ ભાર આજની મોંઘવારી

    જેટલો ભારે નથી.’

    -  ધીરજભાઈ શાહ

    ( સાભાર : રીડગુજરાતી )

    ચૂંટણીનાં ઢોલ ભારતમાં ચારેકોર વાગી રહ્યા છે, અલગ અલગ પક્ષ અને ઉમેદવારો નવાં નવાં વચનો આપી રહ્યાં છે.   પણ ધીરજભાઈ કહે છે એમ અંતે તો મોંઘવારી, બેકારી, મંદી કે સેન્સેક્સનો ભાર તો આપણી કેડે જ ને ??!!!

    .

    પુસ્તકોની છાજલી : રમેશ પારેખ

    Thursday, April 23rd, 2009

     

    છાજલી પર પુસ્તકો
    અ થી જ્ઞ સુધીનાં………
    દુનિયાના નકશા જેવો
    મારો અભ્યાસખંડ લટકે છે વિશ્વમાં.

    ‘છાજલી પર પુસ્તકો‘ – એમ કહું કહું ત્યાં
    છાજલી તળે ઠોકેલા ખીલા મને કરે છે ચૂપ.
    તે કહે છે : ‘ આ તો ફરિશ્તાઓની વસ્તી છે ! ’
    ને છાજલી હકારમાં વધુ ઝૂકે છે…

    અહીં શબ્દોનો બગીચો મઘમઘે છે
    -એમ બબડતું કોઈ પુસ્તક.
    મારા બે પૃષ્ઠ વચ્ચે છે સ્વર્ગ.
    - એવું જાહેર કરે કોઈ ઝીણકુડી ચોપડી.
    ખોખરા અવાજે બોલે છે શબ્દકોશ :
    ‘ અલ્યા અહીં તો બધી ભાષાઓ ગાય છે ગીત.
    ગીત – ફૂટપાથ પર ઠૂંઠવાતા ભિખારીઓનાં,
    ગીત – ખૂણે બેસી આંસુ પાડતી નવવિધવાનાં,
    ગીત – યુદ્ધમાં કપાઈ ગયેલા સૈનિકોનાં,
    ગીત – ભૂખથી વલવલતાં શિશુઓનાં,
    ગીત – હોસ્પિટલોમાં કણસતા રુગ્ણોનાં,
    ગીત – માનવ્યનાં,
    ગીત – માનવ્ય માટે ઝૂઝતા ચપટીક શ્વાસોનાં,
    ગીત – નિ:શ્વાસ નાખી રસ્તે જતા થાકેલા પ્રવાસીનાં.’

    ‘અહીં ફિલસૂફોએ ઉકેલી નાંખ્યો છે
    કાળનો કોયડો….’ એમ ધીમેશથી કહે કોઈ જર્જરિત ચોપડી.

    ‘આ બધા ગ્રંથો છે સમાજની યાદદાસ્ત’
    - એમ કહી ટપ્પ્ કરતું નીચે પડે કોઈ પુસ્તક.

    મારા અભણ કપાળમાં શબ્દનું ટીલું.
    અહીં અક્ષર છે, ધર્મ -
    જે ખંડિત કરતો નથી કશું,
    જે બનતો નથી કદી પશુ.
    બે પૃષ્ઠ વચ્ચેથી નીકળી તે
    કોઈનાં ઘર કે સપનાં સળગાવતો નથી.
    નથી ભોંકતો કોઈને છૂરો.
    અહીં મંદિરની જગ્યાએ મૂકો મસ્જિદની ચોપડી
    તો બકરી યે કરે નહિં બેં,
    એવું રામરાજ્ય છે !
    અહીં એકે અક્ષર નથી ધર્માન્ધ.
    અહીંથી જ ઊગે છે સૂર્ય
    જે અજવાળે છે ભીતરી બ્રહ્માંડ…….

     ચાચા ગાલિબ એના દીવાનમાંથી,
    ડોકિયું કરી પૂછે: ‘ તું કોણ ? ’
    તો  હોઠ બોલી ઊઠે – ‘ હું મુસલમાન ! ’

    મીરાં, કબીર, તુલસી, નાનક
    પૂછે તારું કયું થાનક.
    જ્યાં તું ટેકવે તારું મસ્તક,
    ને ભીડ પડ્યે કોને દરવાજે દ્યે તું દસ્તક ?
    તો હું ચીંધું મારાં પુસ્તકની છાજલી…..

     ખ્રિસ્ત, બુદ્ધ કે મહાવીર મને ચીંધે દિશા,
    પુસ્તકમાં જાય – આવે મારા વિચાર લિસ્સા !

    મારી છાજલી રામની જન્મભૂમિ નથી,
    એ તો છે વૃંદાવન,
    જ્યાં વિશ્વની તમામ સુંદરતા
    ગોપી બનીને રાસ રમે
    મારું અંતર એમાં ફેરફુદરડી ભમે…

    ધર્મનો ધ
    બે પૂઠાં વચ્ચેથી નીકળીને
    બીજાં પુસ્તકમાં વધ કરવા નથી જતો…

    તો ઉપદેશકો, હોશિયાર !
    મારી છાજલી પર પુસ્તકોની કતાર,
    જેમાં પ્રત્યેક ધર્મ ને મનુષ્ય પ્રતિષ્ઠિત પુરબહાર…

    તમારાં કંઠી કંઠા મારા અભ્યાસખંડને ન અભડાવે
    બિભત્સતા મારા ખંડનાં બારણાં ન અભડાવે
    તો બસ.

    આખા વિશ્વમાં સૌથી પવિત્ર જગ્યા છે -
    મારાં પુસ્તકોની છાજલી.
    મારો અભ્યાસખંડ તીર્થ છે, મારા માંહ્યલાનું,
    તમે આવો તો તમારું ય !

    -  રમેશ પારેખ
    ( ૧૮.૧૦.૧૯૮૯)

     

    મનોજ ખંડેરિયા કહે છે, ” રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખાં, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા” - તો જેને શબ્દો વરેલાં છે તેવાં રમેશ પારેખને કોઈ ધર્મની ‘ કંઠીકંઠા’ નથી જોઈતા તેઓ તો શબ્દનું જ ટીલું કરે છે ને પુસ્તકોની છાજલી જ તેમના માટે ચારધામની જાતરા છે.  આજે વિશ્વપુસ્તકદિન નિમિત્તે ર.પા.ની આ દીર્ઘ રચનામાંથી થોડી થોડી  પંક્તિઓ મૂકી છે. ૨૩ એપ્રિલ, ૧૫૬૪નાં રોજ વિલિયમ શેક્સપિયરનો જન્મ થયેલો અને તે મહાન સાહિત્યકારનાં જન્મદિનને વિશ્વપુસ્તકદિન તરીકે મનાવવામાં આવે છે.  કવિ ઉશનસે પણ કિતાબોમાં ગઝલમાં પુસ્તકમહિમાનું સુંદર રીતે વર્ણન કર્યું છે. વિશ્વ પુસ્તક દિન નિમિત્તે અમદાવાદ ખાતે ગુજરાત પ્રકાશક મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમની વધુ માહિતી આપને મહેફિલ-એ-ખાસમાં મળી શકશે.

     

     

    .

    મારો શામળિયો : નીરવ પટેલ

    Tuesday, April 14th, 2009

     

    મારા શામળિયે મારી હુંડી પૂરી-
    નીકર ગગલીના ગવનનું આણું શેં નેંકળત?

    ચાવંડાની બાધા ફળી
    ને જવાન જોધ ગરાહણી ફાટી પડી …
    એની ઠાઠડીને ઓઢાડ્યું રાતું ગવન !

    રાતીચોળ ચેહ બળે
    ને આકડાના છોડે રાતું ગવન લહેરાય !

    ગગલીની મા તો જે મલકાય, મારી હાહુ…
    બસ, ડાઘુઓની પૂંઠ ફરે કે ધોડું હડડ મસાણે,

    મારો ભંગિયાનો ય બેલી ભગવાન !

    - નીરવ પટેલ

    My Shamaliyo honoured my hundi-

    how else could we have arranged

    the bridal gavan

    for our Gagali’s send off ?

    The vow to to goddess Chavanda bore fruit.

    The garasiya’s wife departed suddenly in full bloom….

    her bier was shrouded in a red gavan !

    The pyre flamed crimson

    and the red gavan flew off and fluttered on the akada bush !

    Gagali’s mother…. oh ! That silly woman…….

    how she chuckled in delight….

    Soon as the back of the mourners turns

    I’ll rush to the cremation ground, she reckoned.

    The Lord is the saviour

    of us untouchables too !

    - Nirav Patel

    (Translator : Pradip Khandwala)

     

    સાંપ્રત સમય અનાયાસે જ સાહિત્યમાં પડઘાતો જ રહે છે. નરસિંહ, મીરાંથી તે અત્યાર સુધી સાહિત્યે જે તે સમયનાં સંસ્કૃતિ, મૂલ્યો, સમાજવ્યવસ્થા વિ.નો ઈતિહાસ શબ્દોમાં સાચવી રાખ્યો છે.  આઝાદી પહેલાં દેશભક્તિ કે ગાંધી વિચારધારા વિષયક કૃતિઓ રચાતી તેમ સમાજમાં પ્રવર્તિત વર્ણભેદ વિશે પણ ઘણી કૃતિઓ રચાતી.   કવિ શ્રી સુન્દરમ્ ‘ભંગડી’ કાવ્યમાં કહે છે – ” ઘમ્મર ઘેરો ઘાઘરો રે, એક ઘાઘરો રે,” અને એક ઘાઘરો રે – કહીને એકનાં એક જ જૂના ઘાઘરાનો ઉલ્લેખ સહજતાથી કરી દે છે. તો આગળ કહે છે, ”શેઠાણી પ્હેરે ચૂંદડી રે, રંગ ચૂંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ, ભંગડી પ્હેરે ચૂંદડી રે,રંગ ચૂંદડી રે,જ્યારે નીકળે છૈયાની જાન.”      

    આજે આંબેડકર જયંતિ નિમિત્તે ગુજરાતી સાહિત્યનાં દલિત કાવ્યો પર પણ એક નજર નાંખીએ. નીરવ પટેલ ‘ બહિષ્કૃત ફૂલો’ શીર્ષક હેઠળ દલિતોની વાત લઈને આવ્યાં છે. તો હમણાં મોરારિબાપુના સાંનિધ્યમાં દલિતસાહિત્ય વિશે એક કાર્યક્રમ સૌમ્ય જોષીનાં સંચાલન હેઠળ યોજાયેલો.

     

     

     .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME